Archive for the ‘સુવિચાર’ Category
હિમ્મત ન હારો – પીડીએફ ફાઈલ
વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીએ
ઋષિઓનાં સનાતન જીવનસુત્રોને વર્તમાન યુગને અનુરૂપ
વ્યાવહારિક સ્વરૂપે રજૂ કર્યા છે.
સુવિચાર :
સુવિચાર
સુવિચાર :
સુવિચાર :
સાચું બોલવાનો ફાયદોએ છે કે
યાદ રાખવું પડતું નથી કે
તમે કયાં, કયારે અને
કોને શું કહ્યું હતું ?
સુવિચાર :-
આજનું ચિંતન
ચરિત્રનું રક્ષણ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.
ધન તો આવે છે અને ચાલયું જાય છે.
ધનથી રહિત મનુષ્યનો નાશ થતો નથી,
પરંતુ ચરિત્રહીન મનુષ્યનો
સંપૂર્ણ વિનાશ થઈ જાય છે.
સુવિચાર :
આજનું ચિંતન
જો કોઈને કાંઈક આપવાની ઈચ્છા હોય અને
તે આપી શકાય, તો તે
સૌથી ઉત્તમ ઉપહાર
આત્મવિશ્વાસ જગાડી દે
તેવું પ્રોત્સાહન જ હોઈ શકે.
સુવિચાર :
આજનું ચિંતન
આ દુનિયામાં દરેક વસ્તુ કિંમત
ચૂકવીને મેળવી શકાય છે.
આ જગતનો આ જ નિયમ છે.
સફળતાઓ પણ ઉત્કૃષ્ટ મનોભૂમિ અને
આત્મબળના મૂલ્યથી પ્રાપ્તકરી શકાય છે.
જો આ સાધનો પોતાની પાસે ન હોય,
તો પછી મોટી મોટી આશાઓ અને
આકાંક્ષાઓ રાખવી નિરર્થક છે.
જ્ઞાન જ્યોત
આજનું ચિંતન :-
સંસારમાં બૂરાઈઓ એટલા માટે વધી રહી છે કે ખરાબ વ્યક્તિઓ પોતાના ખરાબ આચરણ દ્વારા બીજાઓને નક્કર શિક્ષણ આપે છે. તેમને જોઈને એવું અનુમાન કરવામાં આવે છે કે તે કામમાં તેમની નિષ્ઠા કેટલી ઊંડી છે. જ્યારે સદવિચારોના પ્રચારકો તે પ્રમાણેનાં ઉદાહરણ પોતાના જીવન દ્વારા રજૂ કરી શકતા નથી. તેઓ કહે છે તો ઘણુંબધું, પરંતુ એવું કાંઈ જ કરતા નથી, જેનાથી તેમની નિષ્ઠાની સચ્ચાઈ દેખાય.
જ્ઞાન જ્યોત
આજનું ચિંતન :-
નામ અને યશની ઈચ્છાથી
દૂર રહેનારા, પ્રતિષ્ઠા, પદ અને
ખ્યાતિથી અલિપ્ત રહેનારા
સાચા લોકસેવકો સાચે જ
આ ધરતીના દેવદૂત કહેવાય છે.
જ્ઞાન જ્યોત
આજનું ચિંતન :-
કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની
સૌથી મોટી નબળાઈ
તેના નાગરિકોની આત્મિક દુર્બળતા
જ્યાં હશે ત્યાં બધાં જ સાધનો હોવા છતાં પણ
શોક, સંતાપ, ક્લેશ, ક્લહ, અભાવ અને
દરિદ્રતાનું જ વાતાવરણ રહેશે.
જ્ઞાન જ્યોત
આજનું ચિંતન :-
જયાં ફકત વિચાર છે અથવા ફકત ક્રિયા છે અથવા બંનેનો અભાવ છે તે વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર ઉન્નત થઈ શકતાં નથી, મોટા મોટા ઉપદેશ, વ્યાખ્યાન, લેખો વગેરેનો સમાજ પર પ્રભાવ પડે છે, પરંતુ તે ક્ષણિક હોય છે. કોઈપણ ભાવિ ક્રાંતિ, સુધારો, રચનાત્મક કાર્યક્રમ વગેરે માટે શરૂઆતમાં વિચારો જ આપવા પડે છે, પરંતુ સક્રિયતા અને વ્યવહારનો સ્પર્શ થયા વિના તેમનું કાયમી અને મૂર્તરૂપ જોવા મળતું નથી.
