RSS

Category Archives: ગાયત્રી મંત્ર

ૐકારનો અનુભવ :-

ૐકારનો અનુભવ  :-

            ૐકાર દિવ્ય નાદ છે.  એ પરમ સંગીત છે.  સૃષ્ટિના બધા જ સ્વર આમાં પરોવાયેલા છે.  વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓનો કલરવ, ઉચ્ચ હિમશિખરો પર છવાયેલી શાંતિ, પહાડો પરથી ઉતરતાં ઝરણાઓઅનું ખળખળ, વૃક્ષોમાંથી પસાર થતી હવાની સરસર, મહાસાગરોમાં લહેરોનું તર્જન, આકાશમાં વાદળાંઓનું ગર્જન દરેકનો સાર આ ૐકાર છે.

       ૐકાર શબ્દ બીજ છે.  બધા જ શબ્દોની ઉત્પત્તિ આની જ અંદરથી થઇ છે.  આમાંથી જ તેમને જીવન મળે છે અને આમાં જ તેમને લય પામવાનું છે.  વેદ જ નહિ.  બાઇબલ પણ ૐમાંથી ઉત્પન્ન થયું છે.  ગીતા અને ગાયત્રી આમાંથી જ પ્રગટ થયાં છે.  એટલા માટે તો વેદ કહે છે કે જેણે ૐને જાણી લીધો, તેમને જાણવા માટે કશું બાકી રહ્યું નથી.  બાઇબલ પણ આ જ સચ્ચાઇને દોહરાવે છે કે પ્રારંભમાં ઇશ્વર હતા અને ઇશ્વરની સાથે શબ્દ હતો અને પછી એ જ શબ્દ દ્વારા બધું પ્રગટ થયું.

       ૐકાર સૃષ્ટિ બીજ છે.  એ સૃષ્ટિની બધી જ ઊર્જાઓનો પરમ સ્ત્રોત છે. અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત ઊર્જાના વિભિન્ન સ્તર, આયામ અને ઊર્જાધારાઓ ૐકારમાંથી જ પ્રવાહિત થયાં છે.  ત્યારે જ ઉપનિષદ કહે છે કે ૐકારમાંથી બધું જ ઉત્પન્ન થયું, ૐકારમાં દરેકનું જીવન છે અને અંતમાં બધું જ ૐકારમાં વિલીન થઇ જશે.  સૃષ્ટિના સૂક્ષ્મતમથી મહાવિરાટ હોવા સુધીનાં બધાં જ રહસ્યો આ ૐકારમાં સમાયેલા છે.

       ૐકાર ધ્યાન બીજ છે.  એના ધ્યાનથી બધાં જ રહસ્યો ઉજાગર થાય છે.  શક્તિના સ્ત્રોત ઊભરે છે.  આ ૐકાર અમારામાં છે, તમારામાં છે, દરેકમાં છે, પરંતુ છે હજી એ બંધનમાં.  જયાં સુધી એ બંધનમાં રહેશે ત્યાં સુધી આપણી અંદર રુદનનો હાહાકાર મચેલો રહેશે, વેદનાઓ આપણે છંછેડતી રહેશે.  ૐકાર બંધનમુકત થવાની સાથે જ રુદનનો ચિત્કાર સંગીતના ઉલ્લાસમાં ફેરવાઇ જશે.  આ બંધનમુક્તિ ધ્યાન દ્વારા જ સંભવ બને છે.  ધ્યાન દ્વારા જ ૐનું બીજ અંકુરિત, પલ્લવિત, પુષ્પિત થાય છે.  આ ૐકારનાં ધ્યાનમાંથી જ ગાયત્રીનું ગાન ફૂટે છે.  એ શાસ્ત્રની નહિ અનુભવની વાત છે.

 

ઉદ્દેશ્ય ઊંચો રાખો

ઉદ્દેશ્ય ઊંચો રાખો

       માટીનાં રમકડા જેટલી સહેલાઇથી મળે છે એટલી સહેલાઇથી સોનું મળતું નથી.  મન પાપ તરફ સહેલાઇથી જાય છે, પરંતુ એને પુણ્ય કર્મો તરફ વાળવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે.  પાણીનો પ્રવાહ નીચેની તરફ ખૂબ ઝડપથી વહે છે, પરંતુ પાણીને જો ઊંચે ચઢાવવું હોય તો પંપ મૂકવો પડે છે.

       ખરાબ વિચાર તથા તામસી સંકલ્પ એવી બાબતો છે, જે આપણું મનોરંજન કરતાં કરતાં આપણા મનમાં ઘૂસી જાય છે અને સાથે સાથે પોતાની મારકશક્તિને પણ લઇ આવે છે.  સ્વાર્થમયી નીચ ભાવનાઓનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે તે કાળા રંગની છરીઓ સમાન તીક્ષ્ણ અને તેજાબની જેમ દાહક હોય છે.  તેમને જો થોડીક જગ્યા મળે તો તે પોતાના જેવી ઘણી સામગ્રીને ખેંચી લે છે.  વિચારોમાં પણ પૃથ્વી વગેરે તત્વોની જેમ ખેંચવાની અને સીંચવાની શક્તિ હોય છે. તે અનુસાર પોતાની ભાવનાને પૃષ્ટ કરનાર એ જ જાતના વિચારો ઊડી ઊડીને ત્યાં એકત્રિત થવા લાગે છે.

       આવું જ સારા વિચારોની બાબતમાં પણ છે.  તેઓ પણ પોતાના જેવા વિચારોને એકઠા કરીને સશક્ત બનવામાં પાછા પડતા નથી.  જેમણે ઘણા લાંબા સમય સુધી ખરાબ વિચારોને પોતાના મનમાં સ્થાન આપ્યું છે એમને ચિંતા, ભય તથા નિરાશાનો શિકાર થવું જ પડશે.

 

ૐ અમોધ અસ્ત્ર ગાયત્રી મંત્ર

ૐ અમોધ અસ્ત્ર ગાયત્રી મંત્ર

 

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ 11

      

                      :      એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે)    

 ભૂર્                   :      જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે.

ભુવ:                   :      જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે.

સ્વ:                    :      જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે)

તત્                    :      તે.  (ભગવાન ભાસ્કર )

સવિતુર્            :      સર્વ જગતને ઉત્પન્ન કરનાર.

તુરેણ્યમ્            :      અત્યંત આનંદદાયક

ભર્ગો                  :      તેજ (પ્રકાશ)

દેવસ્ય              :      દેવનું.

ધીમહિ              :      અમે ધ્યાન ધરીએ છીએ.

ધિયો                 :      બુધ્ધિને.     

યો                     :      જે

ન:                      :      અમારી     

પ્રચોદયાત્        :      પ્રેરણા કરે.

 

ભાવાર્થ  *  જે સર્વ પ્રાણીઓનું જીવન છે. જે પોતાના દરેક ભક્તોનો સર્વ દુ:ખોનું નિવારણ કરનાર છે અને જે સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર તેમજ ચલાવવનાર છે.  તે ભગવાન સૂર્ય નારાયણના અત્યંત આનંદદાયક તેજ (પ્રકાશ) નું અમે ધ્યાન ધરીએ છીએ અને એવા ભગવાન સવિતાદેવ અમારી બુધ્ધિમાં પ્રેરણા કરો.

 
 
Follow

Get every new post delivered to your Inbox.